News
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
આર.કે.દેસાઈ કોલેજ પરિવારમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી સરના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો.
જેમાં મુખ્ય અતિથિ ડી.એમ.ચૌધરી (PSI) વલસાડ જિલ્લાના અને ગુજરાત,મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ શ્રી રાજેશ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજેશ શર્મા સરએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંગે પોતાની સરલ ભાષા શૈલીની અંદર વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.તેવીજ રીતે ડી.એમ. ચૌધરી સરે પણ ટ્રાફિક જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કોલેજ કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહએ શુભેચ્છા પાઠવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment