helth tips news
News
હાલ મહામારીમા અનેક લોકો નેગેટિવ વિચારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રોજ સવારે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.
હાલ મહામારીના સમયગાળામા અનેક લોકો નેગેટિવ વિચારોનો સામનો કરી રહ્યા છે. માનસિક તણાવના કારણે અનેક લોકોની પરેશાનીઓ વધી રહી છે. આવી સ્થિતિમાં રોજ સવારે હનુમાનજી સામે ધ્યાન કરવાથી લાભ મળી શકે છે. હનુમાનજીની પૂજાથી આત્મવિશ્વાસ માં વધારો થાય છે, નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.
રોજ સવારે વહેલાં જાગવું અને થોડી વાર માટે મેડિટેશન કરવું જોઇએ. ધ્યાન કરતી સમયે ૐ શબ્દનો સતત જાપ કરવો. આ મંત્ર ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઇએ. રોજ આ કામ કરશો તો થોડાં દિવસો બાદ જ પોઝિટિવ ફળ મળી શકે છે. એકાગ્રતા વધી શકે છે.
ઘરમાં હનુમાનજી અથવા શિવજીની એવી તસવીર લગાવો, જેમાં તેઓ ધ્યાન કરતાં જોવા મળી રહ્યા હોય. આ તસવીરના દર્શન રોજ કરવા જોઇએ. જો તમે ઇચ્છો તો હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. એવું કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે. નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.
રોજ સવારે સ્નાન બાદ સૂર્યને એક તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રો જાપ પણ કરવો જોઇએ. મંત્ર જાપથી મન શાંત થાય છે. આ કામથી સ્વાસ્થ્ય લાભ સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સૂર્યને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે, જેના કારણે સૂર્યપૂજા કરવાથી આ લાભ પણ મળે છે.
ઘરમાં વાદ-વિવાદ કરવાથી બચવું. મન શાંત રાખવું અને ગુસ્સો કરવો નહીં. તણાવમાં આપણે ગુસ્સો કરવા લાગીએ છીએ, જેના કારણે પરેશાનીઓ વધી જાય છે. તેનાથી બચવા માટે ગુસ્સા ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. આ કામ મેડિટેશનની મદદથી સરળતાથી થઇ શકે છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment