ચણવઈ તાડ ફળીયાથી જયેશભાઈ પટેલ ગુમ થયા છે

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૫:. વલસાડ તાલુકાના ચણવઈ તાડ ફળીયા ખાતે રહેતા ધીરૂભાઈ છગનભાઈ પટેલના પુત્ર જયેશભાઈ તા.૨૯/૦૬/૨૦૨૧ ના રોજ સાંજે ૧૭ કલાકે કોઈને કંઈ પણ કહયા વગર પોતાનો છોટા હાથી ટેમ્‍પો લઈ વિરાર ટોલ નાકા થઈને ગયા તે આજ દીન સુધી ઘરે પરત આવ્‍યા નથી. 
ગુમ થનારની ઉંમર ૪૮ વર્ષ, શરીરે મધ્‍યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ, ઊંચાઈ આશરે પાંચ ફુટ સાત ઇંચ, શરીરે સફેદ કલરનું કાળી ઊભી લીટીવાળું આખી બાઈનું શર્ટ અને કમરના ભાગે કાળા કલરનું ટ્રેક પેન્‍ટ પહેર્યું છે. તે ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે. 
   
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close