દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો

      વાપીમાં આવેલી અદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો છે. આ વિડીઓને લઈને હાલ વાપીમાં ચકચાર મચી ગઇ છે.
વાપીના સોશ્યલ મીડિયા ગ્રુપમાં વીડિઓ અને પ્રશાસનને અપીલ કરતી વિગતો વાયરલ થઈ હતી. વિડીઓમાં ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે અચાનક જ એક મહિલા આવી ને દર્દીના સગાને બિલ ભર્યા વિના પેશન્ટને કેમ લઈ જાઓ છો. પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી સંભળાય છે. અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કરે છે. જે દરમ્યાન દર્દીના સગાઓ સાથે ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ ઉભું થાય છે.
દર્દીના સગા પણ આક્ષેપો કરે છે કે રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં છીએ તો આ બિલ પણ ભરી દીધું છે. જે બાદ પેશન્ટના પરિવારજનોએ બીલના પૈસા ચૂકવી દેતા તે પૈસા ગણીને એમ્બ્યુલન્સને જવા દેવાનો ઈશારો કરે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિઓ વાયરલ થયો છે. જેમાં આ રીતે માનવતા નેવે મૂકી બિલ માટે દર્દીને મરવા મૂકી દેતા અને એમ્બ્યુલન્સને રોકી દેતા ડોકટર ની પત્ની સામે પ્રશાસન કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સાથે જ આ વિડીઓને વધુ ને વધુ વાયરલ કરવાની અપીલ કરી છે.
     આ વીડિઓ વાયરલ થયા બાદ આ અંગે અદિત હોસ્પિટલના ડૉ. તેજસ શાહ સાથે  ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે દર્દી તેમને ત્યાં 20-25 દિવસથી વેન્ટિલેટર પર હતાં. જે બાદ સુરતમાં વ્યવસ્થા થતા વધુ સારવાર માટે ત્યાં ખસેડવાની માંગણી કરતા અમારો સ્ટાફ તેને સ્ટેચર પર નીચે લાવ્યો હતો જે દરમ્યાન પોતે થોડો આરામ કરવા જતાં રહ્યાં હતાં. અને દર્દીઓના સગા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવાની તૈયારીમાં હતા જે જોઈ જતા તેમની પત્નીએ રોક્યા હતા તેમનું દોઢ લાખનું બિલ બાકી હતું. 
ઓક્સિજન માસ્ક કાઢી નાખવાના આક્ષેપો તદ્દન ખોટા છે. દર્દીનો હાથ સ્ટેચર બહાર હતો આવતા જતા કોઈને વાગી ના જાય એટલે એ સરખો કર્યો હતો. આ ઘટનામાં દર્દીના પરિવારજનોને બદલે અન્ય વિઘ્નસંતોષીઓએ આ સમગ્ર ઘટનાને નવું રૂપ આપ્યું છે. જ્યારે અમારી હોસ્પિટલમાં દર્દીની ડિપોઝીટ પછી ભરાવીએ છીએ પણ સારવાર પહેલા કરીએ છીએ.
                 તો આ વાયરલ વીડિઓ બાદ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી ડો.અનિલ પટેલે  વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે હજુ સુધી અમારી પાસે વિગતો આવી નથી. પરંતુ આ અંગે તપાસ કરી જરૂર પડશે તો હોસ્પિટલને નોટિસ આપીશું. જ્યારે, વાપી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મોનિક પટેલે જણાવ્યું હતું કે આ વીડિઓ અને વિગતો મળી છે. હજુ સુધી ઉપરી અધિકારી તરફથી કોઈ આદેશ આવ્યા નથી જો આદેશ આવશે તો હોસ્પિટલ સામે એક્શન લઈશું.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં વાપીમાં તબીબોની દર્દીઓ સાથે અને દર્દીના પરિવારજનો સાથે કરવામાં આવતી દાદાગીરીની આ ગંભીર ઘટના છે. આ પહેલા પણ 21st સેન્ચ્યુરી, નિરામયા હોસ્પિટલ, સંવેદના હોસ્પિટલમાં તબીબોની આવી જ દાદાગીરીનો ભોગ દર્દી અને તેના પરિવાજનોએ બનવું પડ્યું છે. 
જેમાં સરકારના નિયમ કરતા વધુ બિલ વસૂલવા, બિલ માટે દર્દીના મૃતદેહને નહિ સોંપવા, બિલ માટે કાર જમા કરાવી લેવા જેવી ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ આ અંગે યોગ્ય તાપસ કરી જો દોષિત જણાય તો આવા તબીબો અને બિલ માટે માનવતા નેવે મુકતી તબીબની પત્ની સામે કડક એક્શન લે તે જરૂરી છે.  
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close