સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના સંચાલકોની બેદર કારી અને રાત્રીના સમયે ગેસ છોડવાની બદદાનત સામે જો GPCBના અધિકારીઓ, DIS ના અધિકારી ઓ, ફેક્ટરી ઇન્સ્પેકટર કાયદેસરના પગલાં નહિ ભરે તોભવિષ્ય માં મોટી જાનહાની થઈ શકે છે.

વાપી GIDC 4th ફેઈઝમાં આવેલ કંપની માંથી રાત્રે ગેસ લીકેજ થતા નજીકની કંપનીમાં ત્રીજા માળે કામ કરતા 3 કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી. જેમાં 2 કામદારોને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ગેસની અસરમાં ગૂંગળાયેલ કામદારોએ ફરિયાદ કરી હતી કે આ કંપની સંચાલકો અવારનવાર રાત્રે ગેસ છોડી આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
વાપી GIDCમાં 4th ફેઈઝ વિસ્તારમાં બીલખાડી એરિયા, રામજી પેપર મિલની બાજુમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારે રાત્રે નાઈટ શિફ્ટમાં કામ કરતા દિલીપ હળપતિ, મુકેશ બસ્તા સહિત 3 કામદારોને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. 
ખાનગી હોસ્પિટલના ICU માં સારવાર લઈ રહેલા મુકેશ બસ્તા અને દિલીપ હળપતિએ આ અંગે વિગતો આપી હતી કે શુક્રવારે રાત્રે તેઓ કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ પર આવ્યા હતાં. ત્યારે રાત્રે 12 વાગ્યા બાદ અચાનક જ નજીકમાં આવેલ પ્લોટ નંબર 6306માં કાર્યરત સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ છૂટ્યો હતો. જે ગેસ ત્રીજા માળે કામ કરતા 3 કર્મચારીઓને લાગતા તેઓની છાતી પર દબાણ વધ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અને ઉબકા આવતા હોય તાત્કાલિક ત્રીજા માળેથી નીચે આવી સિક્યુરિટીને ગેસ લીક થયો હોવાની જાણ કરી હતી. એટલે સિક્યુરિટીએ તાત્કાલિક કંપની માલીક વિઠ્ઠલભાઇ બાબરીયા અને  ભાવેશભાઈને જાણ કરતા તેઓ કંપની પર પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં.
હોસ્પિટલમાં બન્ને કામદારોની ગંભીર પરિસ્થિતી જોતા અને બ્લડ પ્રેશર વધી ગયું હોય ICU માં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. હાલ બન્ને કામદારોની હાલત સ્થિર છે. જ્યારે આ ઘટના અંગે ગુજરાત પોલીબોન્ડ ના મેનેજીંગ ડાયરેકટર વિઠ્ઠલભાઇ બાબરીયાએ જણાવ્યું હતું કે ગેસ નજીકની ડાય કેમ પ્રોડકટ બનાવતી સ્વપ્નિલ ઓર્ગેનિક્સ નામની કંપનીમાંથી આવ્યો હતો. જેની અસર કંપનીના કામદારોને થઈ હતી. જે અંગે સિક્યુરિટીએ અને તેમણે સ્વપ્નિલ ઓર્ગેનિક્સમાં જઇ ત્યાંના સિક્યુરિટી ને અને સંચાલક રમણ ભાઈને જાણ કરી હતી. જો કે શરૂઆતમાં તેઓએ આ ગેસ તેમની કંપનીમાંથી છૂટ્યો નથી તેવા ગલ્લાતલ્લા કર્યા બાદ કબુલ્યું હતું કે કંપની માં વેસેલ્સ અથવા મશીનમાં ખામી સર્જાતા ગેસ લીકેજ થયો છે.
સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપની ની આ બેદરકારી અંગે ગેસનો ભોગ બનનાર બન્ને કામદારો અને એ ઉપરાંત નજીકની અન્ય કંપનીમાં નોકરી કરતા કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો ખૂબ જ નફ્ફટ છે. તેઓ અવારનવાર રાત્રે ગેસ છોડતા હોય છે. આ પહેલા પણ આવી જ રીતે ગેસ છોડતા તેની સામાન્ય અસર વર્તાઈ હતી. આ અંગે ગુજરાત પોલીબોન્ડના વિઠ્ઠલ ભાઈએ પણ જણાવ્યું હતું કે કામદારોએ આ મામલે તેમની સામે પહેલા પણ રાવ કરી છે. 
ઉલ્લેખનીય છે કે વાપી GIDC માં 4th ફેઈઝમાં પ્લોટ નંબર 6306માં આવેલ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના સંચાલકોની બેદરકારી અને રાત્રીના સમયે ગેસ છોડવાની બદદાનત સામે જો GPCBના અધિકારીઓ, DISH ના અધિકારીઓ, ફેક્ટરી ઇન્સ્પેકટર કાયદેસરના પગલાં નહિ ભરે તો આજે મોટી જાનહાની જરૂર ટળી છે. પરંતુ ભવિષ્ય માં મોટી જાનહાની થઈ શકે છે. અને જેમ સુરતની ઘટના બાદ અધિકારીઓને સસ્પેન્ડ થવું પડ્યું છે. તેમ અહીં પણ સસ્પેન્ડ થવું પડશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close