શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરના ૫૮ બાળકોએ GK-IQ 2024 ની પરીક્ષા આપી

સલવાવ તા. ૫, ઓકટોબર વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર આયોજિત સામાન્યજ્ઞાન બુધ્ધીકસોટી( GK-IQ) -૨૦૨૪ માં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના ધો. ૫ થી ૮ ના ૫૮ બાળકોએ તા.૫/૧૦/ ૨૦૨૪ ને શનિવારના રોજ વાપી સલવાવ સેન્ટર પર પરીક્ષા આપી હતી. 
વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા રાજ્યવ્યાપી સામાન્યજ્ઞાન બુધ્ધીકસોટી-
( GK-IQ)૨૦૨૪ ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્ટી. પૂ. કપીલ સ્વામીના દિશાસૂચન, ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના ધો. ૫ થી ૮ ના ૫૮ બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં પાઠ્યપુસ્તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્યજ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્યમાં આવનાર વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્ય થી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, અર્થશાસ્ત્ર,, બેન્કિંગ, કોમ્પ્યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓ એ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા તે બાબત પણ નોધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close