ડાંગ જિલ્લામાં રાજયના આયુષ વિભાગ દ્વારા કોરોનાની શરુઆતથી જ આયુષ સારવાર કેન્દ્રોની માહિતી તેમજ હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર 14443 સપ્તાહના સાતેય દિવસ કાર્યરત : https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ :

(ડાંગ માહિતી બ્યુરો) સંકલન : મનોજ ખેંગાર આહવા: તા: ૨૪: કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી સમસ્યાઓ, Post Covid માટે આયુષ આધારિત ઉપાય અર્થે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે.
 AYUSH HELPLINE  માટે ટોલ ફ્રી નંબર 14443 છે. જે સપ્તાહના સાતેય દિવસ સવારે 6.00 થી રાત્રે 12.00 કલાક સુધી કાર્યરત રહેશે. એમ આયુષ નિયામકશ્રીની યાદીમા જણાવાયુ છે.યાદીમાં વધુમા જણાવાયા અનૂસાર આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14443 દ્વારા આયુષના તમામ અલગ અલગ વિષય નિષ્ણાતો, નાગરિકોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે  ઉપલબ્ધ રહેશે. જેમાં નાગરીકો HELPLINE થકી આયુર્વેદ, હોમિયોપેથી , યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની, અને સિદ્ધા માટે માર્ગદર્શન મેળવી શકશે. જેમા નિષ્ણાતો દ્વારા નાગરીકો તેમજ દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજ ની સાથે સાથે તેમની નજીકમા ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પૂરી પાડશે. આ સાથે ગુજરાત સરકારના આયુષ પ્રભાગ દ્વારા કોરોનાની શરુઆત (એપ્રિલ  2020 થી) થી જ નાગરિકોને નજીકના આયુષ સારવાર કેન્દ્રોની માહિતી https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવેલ છે. જેમા જે તે આયુષ તબીબના વ્યક્તિગત મોબાઈલ નંબરની માહિતી પણ ઉપલબ્ધ કરાવેલ છે, અને જેનો ગુજરાતના નાગરિકો લાભ લઈ રહ્યા છે 
            આ આયુષ હેલ્પલાઇન થકી આયુષ નિષ્ણાતો દર્દીઓને કોવિડ-૧૯ પછીના ઉપાય માટેના સૂચનો (Post Covid Management) અંગે પણ માહિતી આપશે. 
HelpLine કઈ રીતે કામ કરશે ?આ હેલ્પલાઇન આઇવીઆર  (ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ) થી સજ્જ છે, અને હાલમા તે હિન્દી તથા અંગ્રેજી ભાષામા ઉપલબ્ધ છે. નજીકના ભવિષ્યમા દેશની અન્ય ભાષાઓનો પણ તેમા સમાવેશ કરાશે. પ્રારંભમા આ હેલ્પલાઇન એક સાથે 100 કોલ લઈ શકશે, અને ભવિષ્યમા જરૂરિયાતને ધ્યાનમા રાખીને આ સંખ્યામા વધારો કરાશે.આ હેલ્પલાઇન મારફતે આયુષ મંત્રાલય દેશમા કોવિડ-૧૯ના ફેલાવાને નિયંત્રણમા રાખવાના યોગદાનમા મદદરૂપ થશે. આ હેલ્પલાઈનને સ્ટેપ વન એનજીઓ પ્રોજેક્ટની મદદથી કાર્યરત કરાઈ છે.
           AYUSH વિશે પ્રાથમિક માહિતી :
નોંધનીય છે કે આયુષ સિસ્ટમ આરોગ્ય અને પરિવાર  કલ્યાણ માટે ઉપયોગમા લેવાતી દેશની સૌથી જૂની મેડિકલ સિસ્ટમ છે, અને સમગ્ર દેશમા તેને આવકાર મળેલો છે. કોરોના સામે ઘરમા જ રહીને સારવાર કરી શકાય, અને રોગ પ્રતિકારકશક્તિમા વધારો થાય તે હેતુથી કોરોનાની મહામારીના વર્તમાન સમયમા AYUSH ની સારવાર, અને ઉપાયોના ઉપયોગમા વધારો જોવા મળ્યો છે. આ AYUSH SYSTEM કોવિડ-1૧૯ના મેનેજમેન્ટમા ઉપયોગી, અસરકારક, સુરક્ષિત અને વાજબી છે. આ ઉપરાંત તેની  PREVENTIVE અને CURETIVE TREATMENT ની શક્યતાને પણ ચકાસવામા આવી છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close