તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને ઠગો 6 તોલાના સોના ના દાગીના જેની કિંમત રૂપિયા 1 લાખ 30 હજાર તથા 21 હજાર રોકડા લઇને ચાલી ગયા

     પારડીની 72 વર્ષના વિધવાને તાંત્રિકોએ 100 વર્ષ સુધીનું આયુ રહશે, તમને કંઇ નહિં થાય અને ખેતીની આવક પણ વધશે એમ કહીને તાંત્રિક વિધિ કરાવવાના નામે નવસારીના બે તાંત્રિકે ઠગે વૃદ્ધા પાસેથી સાડા 6 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 92 હજાર પડાવ્યા હતા. પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
        આમળી ગામે દિપાલી ફળિયામાં રહેતા 72 વર્ષના નિર્મળાબેન ભીમાભાઇ પટેલ પતિના અવસાન થયા બાદ એકલા જ રહે છે. બે માસ અગાઉ તેમના ઘરે બે યુવકો જલારામ મંદિરના લાભાર્થે દાન લેવા માટે આવ્યા હતા એ સમયે નિર્મળાબેને યુવકોને દાન પેટે એક હજાર રૂપિયા પણ આપ્યા હતા. દાન લીધા બાદ યુવકોએ જણાવ્યું હતું કે, અમે તાંત્રિક વિધિ પણ કરીએ છીએ જો તમને કોઇ કનડગત હોય તો જણાવો જેથી કરીને તમારા ધરે આવીને વિધિ કરી જઇશું. થોડા દિવસ પછી આ ઠગ ટોળકી પરત તેમના ઘરે આવીને કહ્યું હતું કે, તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને બંને ઠગોએ વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ પુરી થયા બાદ ઠગ ઇસમો 6 તોલાના સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 1 લાખ 30 હજાર તથા 21 હજાર રોકડા લઇને ચાલી ગયા હતા. ત્યાર બાદ છાસવારે થોડા થોડા દિવસના આંતરે ત્રણેય ઠગ ટોળકી તેમના ઘરે આવીને રોકડા 10 હજારથી લઇને 50 હજાર રૂપિયા લઇ જતા હતા.
      20મી મે ના રોજ નવસારી જિલ્લાના ધોધમુવાનો રહીશ બ્રિજેશ નામક ઠગ ભગતે નિર્મળાબહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, હજી કેટલીક વિધિ બાકી છે એ કરવા માટે એક લાખ રૂપિયા આપવા પડશે અને તમારા દાગીના પણ અમે પરત કરી દઇશું એવું જણાવ્યું હતું. 100 વર્ષ સુધીનું આયુ અને ખેતીમાં વધારે આવક મળશે એવી લોભામણી લાલચમાં આવેલી વૃદ્ધાને આખરે પોતે છેતરાઇ હોવાનું જણાતા તેમના સંબંધીને જાણ કરી હતી. આ અંગે નિર્મળાબહેને પારડીના પીએસઆઇ બી.એન.ગોહિલને તમામ હકીકત જણાવતા ઠગ તાંત્રિક ટોળકીને પકડવા માટે છટકું ગોઠવી ત્રણેયને ઝડપી લેવાયા હતાં.

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close