News
સંજાણ રોડનું લોકાર્પણ કરતા આદિજાતી વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર
માહિતી બ્યુરો વલસાડ તા.૦૪: ઉમરગામ નગરપાલિકા દ્વારા ૧૪ મા નાણાપંચ ગ્રાન્ટ હેઠળ પાઈપલાઈન, ડામર રોડ, ફૂટપાથ, તેમજ રોડ ડીવાઈડર સહિતના કામનું લોકાર્પણ વન અને આદિજાતી વિકાસ વિભાગના રાજયના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું.
સંજાણ રોડથી સ્ટેશન રોડ સુધીના ૩૩૬ મીટરના રોડ તેમજ ડિવાઇડર, ફુટપાથ તેમજ પાઇપલાઇન સહિતની કામગીરી માટે રૂા. ૧.૯૮ કરોડનો ખર્ચ કરાયો છે.
આ રોડના લોકાર્પણ કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા ના પ્રમુખ ચારૂશીલાબેન વલસાડ જિલ્લાના સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, કમલેશભાઈ સહિત ગ્રામજનો હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment