News
પારડી વૈકુંઠધામ સ્મશાન ગૃહ ની નવી ભઠ્ઠી માટે વિદેશ માં રહેતા સોલંકી પરિવારે રૂ. 5.72 લાખ નું દાન આપ્યું
રડી ના મૂળ રહેવાસી અને હાલ અમેરિકામાં રહેતા સોલંકી પરિવાર ના દાનવીર એવા એક નાગરિકે પોતાના માતૃ ના નામે પારડી વૈકુંઠધામ સ્મશાન ગૃહ ના વિકાસ માટે રૂ. 5.72 લાખનું દાન આપ્યું છે. જે દાન થકી પારડી સ્મશાન ભૂમિ નો સર્વાંગી વિકાસ થઇ શકશે અને લોકોને અંતિમ ક્રિયા માટે વધુ સુવિધાઓ મળી શકશે.
પારડી વૈકુંઠધામ સ્મશાન ગૃહના સેક્રેટરી સંજય બારીયા ના જણાવ્યા મુજબ સોલંકી પરિવાર ના અગ્રણી એ પોતાના માતા મણીબેન વિજયસિંહ સોલંકી ના નામે રૂ. 3 લાખ લાકડા ની નવી ભઠ્ઠી માટે આપ્યા છે, તેમજ સોલાર પેનલ મુકવા માટે દોઢ લાખ આપ્યા છે આમ કુલ ચાર લાખ ૫૧ હજારનો ચેક તેમણે અર્પણ કર્યો છે, ગત વર્ષે 1 લાખ 21 હજાર દાનમાં આપ્યા હતા. આમ તેઓએ કુલ રૂ. 5 લાખ 72 હજાર નો દાન સ્મશાન ભૂમિ ને અર્પણ કર્યો હતો. જે બદલ સ્મશાન ગૃહ ના સેક્રેટરી સંજય બારીયા એ તમામ દાનવીરો નો આભાર વ્યક્ત કર્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment