News
અભ્યાસ અને કારકિર્દીલક્ષી અદ્યતન માહિતી અને માર્ગદર્શન માટે કોલ સેન્ટર શરૂઃ
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૦૪: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમ ખાતા દ્વારા વલસાડ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો ને કોરોના વાઈરસના સંક્રમણને કારણે અભ્યાસલક્ષી તથા કારકિર્દીલક્ષી માહિતી અને માર્ગદર્શન મેળવી શકે તથા કોઈપણ સ્થળેથી રોજગાર કચેરીનો ટેલીફોનીક સંપર્ક કરી શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનીમય કચેરીઓ ખાતે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
જે ધ્યાને લઇ રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર ભરતી મેળા તથા અન્ય રોજગારલક્ષી સેવાઓની સચોટ અદ્યતન માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે ૬૩૫૭૩૯૦૩૯૦ નંબર ઉપર કોલ કરવા વલસાડ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment