News
10 દિવસ થી ગૂમ ઉમરગામ ના યુવાન નુ પરીવાર સાથે મિલન કરાવતી વેરાવળ ની સંસ્થા
વેરાવળ સ્થિત નિરાધાર નો આધાર આશ્રમ કે જ્યાં રખડતા ભટકતા ભટકતા અસ્થિર મગજ ધરાવતાં બીનવારસી વ્યક્તિ ઓ ને સાચવી સાર સંભાળ કરી સારવાર કરાવી પરીવાર સાથે મિલન કરવાનું ઉતમ માનવસેવા કાર્ય કરે છે .
છેલ્લા 3 દિવસ થી આશ્રમ માં એક બિનવારસી વ્યક્તિ પોલીસ દ્વારા મૂકવા માં આવ્યો હતો જેની હાલત ખુબ દયનીય હોય આશ્રમ સંચાલક દ્વારા તેની પૂછપરછ કરાતા ઉમરગામ નો હોવાનું જણાવતા વાપી ના યતીન ભાઈ કે જેઓ દિવ્યભાસ્કર માં કાર્ય કરે છે અને આશ્રમ ના કાર્ય થી પરિચિત હોય તેમને માહિતી આપી હતી ત્યારબાદ તેમના દ્વારા યુવક ના પરિવાર સાથે સંપર્ક થતાં આજ રોજ તેમનો પરિવાર આજ રોજ આશ્રમ આવી પહોંચ્યા હતા. .. અને પોતાના પિતા ને હેમખેમ જોતા પુત્ર આશિષ ભાઈ એ સંસ્થા નો આભાર વ્યકત કર્યો હતો .
Previous article
Next article
Leave Comments
Post a Comment