News
વાપી નગરપાલિકા ના વૉર્ડ નંબર 3,4,અને 10 માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજ ની દુકાનો માં મફત અનાજ લઈ જવા માટે બેગ વિતરણ અને રાશન વિતરણ નો કાર્યક્રમ યોજાયો
તારીખ (૨૨/૯/૨૦૨૧) ને બુધવારે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ૭૧ મા જન્મ દિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા એ જ સમર્પણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ (નાણા - ઉર્જા પૈટ્રોકેમીકલ્સ ) ના પારડી વિધાનસભા ક્ષેત્રમાં વાપી શહેર ભાજપ દ્વારા વાપી નગરપાલિકા ના વૉર્ડ નંબર 3,4,અને 10 માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજ ની દુકાનો માં મફત અનાજ લઈ જવા માટે બેગ વિતરણ અને રાશનવિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો .
જેમાં વાપી શહેર સંગઠન પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , વાપી નગરપાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ , મહામંત્રી શ્રી દિલીપભાઈ પાટીલ , શ્રી પરેશભાઈ દેસાઈ , પૂર્વ શહેર પ્રમુખ શ્રી મિતેશભાઈ દેસાઈ , લઘુમતી મોરચા પ્રમુખ નાસિરભાઈ પાનવાલા , સંજય પટેલ નગરપાલિકાના સભ્યો , સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment