ડુંગરાથી ફરાહ ગુમ થઇ છે

માહિતી બ્‍યુરો વલસાડ તા.૧૪: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ડુંગરા ડ્રીમસીટી બંગલો નંબર-૫ ડુંગરા, જામા મસ્‍જિદ સેલવાસ રોડ ખાતે રહેતા મુળ ઉતરપ્રદેશ, જાલોન તાલુકાના જાલોન મનોહર મહોલ્લાના નિવાસી મહમદ ખલીલ શેખની પુત્રી ફરાહ તા.૩૧/૦૮/૨૦૨૧ ના રોજ ૧૧.૪૫ થી ૧૨.૦૦ કલાક દરમિયાન ઘરેથી કોલેજ ગયાં હતાં ત્‍યાંથી પરત ઘરે આવ્‍યાં નથી.
 ગુમ થનારની ઉંમર ૨૩ વર્ષ, ઊંચાઈ આશરે ૫ ફુટ ૫ ઈંચ, રંગે ઘઉં વર્ણ, મધ્‍યમ બાંધો, શરીરે પીળા કાળા સફેદ કલરની લોંગ કુર્તી તથા કાળી લેગીઝ અને કાળા કલરનું નકાબ પહેર્યું છે. ગળામાં સોનાની ચેઈન, કાનમાં સોનાની બુટ્ટી અને પગમાં કાળા કલરની મોજડી પહેરી છે. તેઓ હિન્‍દી અને અંગ્રેજી ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવતીની જો કોઈને ભાળ મળે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close