વલસાડ સિટી પોલીસ મથકે ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે પોલીસ જવાનોએ મૌન પાળી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજે 30 જાન્યુઆરીના દિવસે ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે વલસાડ સિટી પોલીસ મથકે સવારે 11 કલાકે પોલીસ જવાનોએ ગાંધીજીની પ્રતિમા આગળ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.વલસાડ સીટી પોલીસના PI વી.ડી. મોરીની આગેવાનીમાં પોલીસ જવાનોએ સિટી પોલીસ મથકે ગાંધીજીની પ્રતિમા સામે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વલસાડ સિટી પોલીસ સહિત જિલ્લાના તમામ પોલીસ મથકોએ પોલીસ જવાનોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધનીય છે કે રેલવે વિભાગે 11 વાગ્યાના ટકોટે હુટર વગાડી લોકોને એલર્ટ કર્યા હતા. વલસાડ રેલવે પોલીસ સહિત રેલવે સ્ટાફ દ્વારા પણ ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close